ગુજરાતના આ શહેરમાં ગ્રાહક કે વેપારી માસ્ક વિના દેખાશે તો સાત દિવસ માટે દુકાન સીલ કરાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Apr 2021 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસ કમિશનર મેદાને ઉતર્યા છે. આ માટે પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે. જે અંતર્ગત શહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની ગાઈડલાઇનની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. કોઇપણ વેપારી, પાન ગલ્લાના ધંધાર્થીઓ પોતે માસ્ક વગર દેખાશે કે પછી ગ્રાહક માસ્ક વગર જણાશે તો તેમની દુકાન સાત દિવસ માટે સીલ કરી દેવાશે..