Bharuch Train Accident : ભરુચમાં ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, જુઓ અહેવાલ

Bharuch Train Accident : ભરુચમાં ટ્રેનની અડફેટે 2 લોકોના મોત, જુઓ અહેવાલ 

ભરૂચમાં ટ્રેનની અડફેટે બે લોકોના મોત નીપજ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન પર બની ઘટના. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા. રેલવે પોલીસે શરૂ કરી તપાસ. આ અંગેની વિગતો એવી છે કે, ભરુચ રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતાં બે લોકોના મોત નીપજ્યા હતા. જેની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી હતી. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટા ક્રોસ કરતી વખતે જ ટ્રેન આવી જતાં બંનેને અડફેટે લેતા મોત નીપજ્યા હતા. જોકે, હજુ સુધી બંને મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી તેમની ઓળખાણ માટે કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola