સુરતના કતારગામમાં રાંધણ ગેસ કૌભાંડનો પર્દાફાશ, કેવી રીતે આચરતા કૌભાંડ ? જુઓ વીડિયો
સુરતના કતારગામના જે.કે.પી નગર અને ઉદયનગર વિસ્તારમાં રાંધણ ગેસ બાટલામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બાટલામાં ઓછુ વજન આપી કૌભાંડ આચરતા હતા. વજન કાંટા પર 30 કિલો ના બોટલ 28 કિલો જ હોવાનું બહાર આવતા આ કૌભાંડ ઝડપાયું હતું. બે અલગ અલગ સ્થળોએ ગેસ સિલિન્ડર માં ગેરીરીતિ થતી હોવાનો આરોપ લાગ્યો છે. ઓછા વજન ધરાવતા ગેસ સિલિન્ડર ગ્રાહકોને પધરાવવામાં આવતા હોવાના આરોપ છે. એવામાં સ્થળ પર જ વજન ની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો હતો.