Surat ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં
સુરત (Surat) માં વધી રહેલા કોરાના (corona) સંક્રમણના કેસોને લીધે મનપાએ કાપડ અને હીરા બજાર માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. 45થી વધુ વય ધરાવનારાઓએ રસી નહીં મુકાવી હોય તો હીરા અને કાપડ બજારમાં પ્રવેશ નિષેધ કરાયો છે. તો નાની ઉંમરના વેપારી, કર્મચારીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાયો છે અને આજથી આ નવો નિયમ અમલી બન્યો છે.