Jain monk convicted : સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા

સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા

જૈનમુનિ શાંતિસાગર મહારાજને દુષ્કર્મના કેસમાં સુરત કોર્ટ સંભળાવી 10 વર્ષની સજા. ઘટના વર્ષ 2017ની છે. વડોદરાની યુવતીને તેના પરિવાર સાથે જૈનમુનિ શાંતિસાગર મહારાજે સુરત બોલાવ્યા હતા. તાંત્રિક વિધિ કરવાના નામે યુવતીને રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટમાં કેસ ચાલી જતાં શુક્રવારે કોર્ટે જૈનમુનિને દોષિત ઠેરવ્યા હતા. શનિવારે કોર્ટે 10 વર્ષની સજા ફટકારી. સાથે જ 25 હજારનો દંડ પણ કરાયો. આ કેસમાં 60 જેટલા પુરાવા રજૂ કરાયા હતા. 250 પાનાની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. પીડિત યુવતીના માતા-પિતા અને ભાઈની જુબાની લેવામાં આવી હતી. જૈનમુનિ શાંતિ સાગર 2017થી જેલમાં છે. 8 વર્ષથી જેલમાં હોવાથી હવે બે વર્ષ સજા કાપવી પડશે...ઓક્ટોબર 2027માં તેઓ છૂટી જશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola