Navsari Mango Effect | નવસારીમાં કેરીના મોરમાં રોગ લાગતાં ખરી પડ્યો, જુઓ અહેવાલ

Navsari Mango Effect | થોડા વર્ષોથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે, જેને કારણે ખેતી પાકોની મોસમ તેના નિર્ધારિત સમય કરતા મોડી ઠેલાઈ રહી છે. ગત વર્ષે કેરીનો ફાલ વ્યવસ્થિત રહ્યો હતો, પણ વાતાવરણીય અસરને પગલે આ વર્ષે 60 ટકા આંબાવાડીઓમાં યોગ્ય રીતે આમ્રમંજરી ફૂટી નથી. બીજી તરફ ગરમીનો પારો 35 ડીગ્રી સુધી પહોંચતા કેરીના બેસાણ તો થયું, પણ ખરણ થવાની સંભાવના વધી છે. જેથી આ વર્ષે કેરીની મોસમ એવરેજ રહેવાની સંભાવના નિષ્ણાંતો સેવી રહ્યા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola