Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

Continues below advertisement

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

નર્મદાના સાગબારા તાલુકામાં જંગલની જમીન ખેડવાનો વિવાદ વધુ વકર્યો. પોતાના હક્ક મુદ્દે આદિવાસી ખેડૂતોના ચાલી રહેલા ધરણાનો આજે 12મો દિવસ છે. લીલાબેન નામના મહિલા છેલ્લા 12 દિવસથી અન્ન-જળનો ત્યાગ કર્યો છે. જો કે 12 દિવસ વિત્યા છતા આ વિવાદનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી. ત્યારે આજે સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ખેડૂતોના સમર્થનમાં ધરણા સ્થળે પહોંચ્યા.  વિવાદનો વહેલી તકે ઉકેલ આવે તે માટે મનસુખ વસાવાએ વિદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવાની વાત કરી.  સાથે જ કૉંગ્રેસના અનંત પટેલ અને તુષાર ચૌધરી આદિવાસી ખેડૂતોના હિતની ચિંતા કરીને અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ આંદોલન કરવાની ટકોર કરી. સાંસદે સુરત જિલ્લા વહીવટી પ્રશાસનને પણ આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપવાની માગ કરી.  સાંસદ મનસુખ વસાવાએ સુરત જિલ્લા વહીવટી પ્રશાસન પર વિવાદ મુદ્દે યોગ્ય ધ્યાન ન આપતા હોવાનો આરોપ લગાવ્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola