Surat માં કોરોના વિસ્ફોટ થવાની આશંકા, બહારથી આવતા લોકો નથી કરાવી રહ્યા ટેસ્ટ
સુરતમાં છેલ્લા ઘણા દિવસથી 100 વધુ કેસ સામે આવી રહ્યા છે. તેમ છતાં હજુ પણ અમુક લોકોની બેદરકારી યથાવત છે. સુરતમા બહારથી આવતા અમુક લોકો હજુ પણ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. મહાનગરપાલિકાએ કોરોના ટેસ્ટ માટે રેલવે સ્ટેશન પર વ્યવસ્થા કરી છે. પરંતુ અમુક લોકો હજુ પણ માનવા તૈયાર નથી. ત્યારે આવા લોકોની બેદરકારીના કારણે હજુ પણ કોરોના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં. સુરતમાં છેલ્લા 24 કલાકમાં નવા 161 કેસ નોંધાયા