તહેવારોને લઇ સુરત મનપાનો મહત્વનો નિર્ણય, શનિ-રવિ મોલ ખુલ્લા રાખી શકાશે

સુરત : તહેવારોને લઇ સુરત મનપાએ મહત્વનો નિર્ણય લીધો છે. મોલને શનિ-રવિ શરૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોલ માલિકોની માંગ હતી કે તહેવારોને લઇ મોલ ખોલવામાં આવે. જેના બાદ મનપાએ છૂટ આપી છે. જો કે, મોલમાં ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે. પાલન નહીં થાય તો કાર્યવાહી કરાશે. જો કે સ્ટ્રીટફૂડ પરનો પ્રતિબંધ હજુ પણ ચાલુ રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola