સુરત મહાનગરપાલિકાએ મૃતક સફાઇ કર્મચારીના પરિવારને 10 લાખ રૂપિયાની કરી સહાય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2021 06:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત મહાનગર પાલિકાએ મૃત સફાઈ કર્મચારીના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય ચૂકવી છે. ભૂતકાળમાં ગટર સાફ કરતા ત્રણ કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ મેયર ફંડમાંથી ત્રણ પરિવારને 10 લાખ રૂપિયા સહાય પેટે ચૂકવવામાં આવ્યા છે. છગન સંગાળા,સુરસિંગ સંગાળા અને તગા પરિમલના પરિવારને સહાય ચૂકવાઈ છે.