સુરત શહેરના કયા ઝોનને કોરોના મુક્ત જાહેર કરાયો ? જુઓ વીડિયો
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો આવી રહ્યો છે. ત્યારે સુરતમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એવામાં સુરતના લીંબાયત ઝોન કોરોના મુક્ત જાહેર કરાયો છે. કૉર્પોરેશને જાહેર કરેલી યાદીમાં હાલ લિંબાયતમાં એક પણ કોરોનાનો કેસ નથી . શરુઆતમાં લીંબાયત ઝોનમાં કેસનું પ્રમાણ વધારે હતું.