Vadodara News । વડોદરાના કરજણના ખેડૂતો વીજ કંપનીના પાપે થયા પરેશાન

Vadodara News । વડોદરાના કરજણના ખેડૂતો વીજ કંપનીના પાપે થયા પરેશાન 

 

Vadodara News । વડોદરાના કરજણ ના ખેડૂતો વીજ કંપનીના પાપે થયા પરેશાન, થોડા સમય પહેલા આવેલા વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે તાલુકામાં આશરે 100 જેટલા વીજ પોલ તૂટી ગયા કે પછી નમી ગયા હતા, આ વાતને વધુ સમય વીતવા છતાં MGVCLએ વીજ થાંભલાઓનું રીપેરીંગ નહિ કરતા ખેડૂતોને અહીંયા મુશ્કેલી પડી રહી છે, વીજ વાયર એટલા નીચા આવી ગયા છે કે ખેડૂતો ખેતી કરી શકે એમ નથી, અમુક લોકોએ લાકડાની મદદથી વીજ વાયરોને ઊંચા રાખવાની કોશિશ કરી છે છતાં જોખમ યથાવત છે અને કેટલાક ખેતરોમાં વીજ પોલ જમીનદોસ્ત થઇ ગયા, નવેસરથી વીજ પોલ ઉભા કરવા ખેડૂતોએ કેટલીક વખત વીજ કંપનીને રજૂઆત કરી છતાં પરંતુ હજુ સુધી કામ શરુ થયું નથી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola