Gujarat Politics:લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે બે યાદી જાહેર કરી દીધી છે. ત્યારે વડોદરા માટે પક્ષે રંજનબેન ભટ્ટની પસંદગી કરતા જ્યોતિબેને અનેક સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ભાજપે રંજનબેન ભટ્ટને લોકસભાની ટિકિટ આપતા જ્યોતિબેન પંડ્યા પહેલાથી નારાજ હતી. આ વાતની જાણ કેન્દ્રિય નેતૃત્વને થતાં તેણે વિરોઘના સૂર આવે પહેલા એકશન લેતા તેમને ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ પદેથી સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે સસ્પેન્સન બાદ જ્યોતિબેને મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી હતી, જ્યોતિબેન પંડ્યાએ શું કહ્યું જાણીએ..