Ind vs Eng: ટી20 મેચ માટે ઓફલાઈન ટિકિટનું વેચાણ શરુ, સ્ટેડિયમની બહાર લાગી લાંબી લાઈન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહેલી ટી20 મેચ માટે ઓનલાઈન ટિકિટના વેચાણ બાદ ઓફલાઇન ટિકિટનું વેચાણ આજથી શરૂ થઈ ગયું છે. મોટેરા અને નવરંગપુરા સ્ટેડિયમ ઉપરથી મેચ રસિકો ટિકિટની ખરીદી કરી શકશે. 500 થી 10000 સુધી ટિકિતના ભાવ નિર્ધારિત કરવામાં આવ્યા છે. એક લાખ દસ હજારની ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં 50 હજાર દર્શકો સાથે મેચ નિહાળવા મંજૂરી અપાઈ છે.