ABP News

સૌરવ ગાંગુલીના રાજીનામાના સમાચાર BCCI સેક્રેટરી જય શાહે ફગાવ્યા

Continues below advertisement

પૂર્વ ભારતીય દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાના સંકેત આપ્યા છે. આજે કરેલા એક ટ્વીટમાં સૌરવ ગાંગુલીએ આ જાહેરાત કરી હતી. સૌરવ ગાંગુલીએ ભાવુક પોસ્ટ કરીને લખ્યું હતું કે, અત્યાર સુધીના સફર માટે ચાહકો અને સાથી ખેલાડીઓનો આભાર. જોકે, સેક્રેટરી જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખપદેથી સૌરવ ગાંગુલીના રાજીનામાના સમાચારને ફગાવ્યા છે. આ પહેલા એવા સમાચાર હતા કે ક્રિકેટર અધ્યક્ષ પદ છોડી રહ્યા છે. જો કે, BCCI સેક્રેટરી જય શાહે રાજીનામાની અટકળો પર પૂર્ણવિરામ મુકતા ન્યૂઝ એજન્સીને સ્પષ્ટ કહ્યું કે ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી. થોડા સમય પહેલા, ગાંગુલીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola