આઇટી રિટર્ન ભર્યા પહેલા આ 7 વાતોનું રાખો ધ્યાન, નહિ તો થશે નુકસાન

ઇન્કમ ટેક્સ વિભાગે 2020-21 આઇટી  રિટર્ન ભરવા માટે અંતિમ તારીખ 31 જુલાઇથી વધારીને 30 સપ્ટેમ્બર 2021 કરી  છે. કરદાતાની સુવિધા માટે 7 જૂન 2021એ નવું આયકર પોર્ટલ પણ લોન્ચ કરવામાં આવ્યું છે. આઇટી રિર્ટન ભરતી વખતે કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ માટે દરેક બેન્કના ખાતાની ડિટેલ આપો અને જેમાં IFSC CODE, બેન્કનું નામ, અકાઉન્ટ નંબરની માહિતી આપવી જરૂરી છે, કારણ કે રિફંડ બેન્ક અકાઉન્ટમાં જ જમા થાય છે. વિદેશી સંપત્તિ, રોકાણ, વિદેશમાં ખાતુ કે, વિદેશ સ્ત્રોતથી કમાણીની માહિતી આપવી જરૂરી છે. જેના માટે રિર્ટન ફોર્મમાં  શેડ્યુઅલ એફએ ભરો. કેપિટલ ગેન્સ,ડિવિડન્ડ, બેન્ક અને પોસ્ટ ઓફિસથી વ્યાજની આવક હવે આઇટીઆરમાં પહેલાથી ભરેલી હશે. તેને એક વખત ચેક અવશ્ય કરો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola