આજના સમયમાં ટેકનોલોજીએ આપણા જીવનને ઘણું સરળ બનાવી દીધું છે. ભારત દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે.

UPI પેમેન્ટની વાત કરીએ તો તેણે આપણા રોજિંદા જીવનને પહેલા કરતા ઘણું સરળ બનાવી દીધું છે.

હવે આપણને હંમેશા રોકડ રકમ સાથે રાખવાની જરૂર નથી કારણ કે UPIનો ઉપયોગ દરેક જગ્યાએ થાય છે.

ક્યારેક ઉતાવળમાં કે નાની ભૂલને કારણે પૈસા ખોટા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે પૈસા પાછા મેળવવા માટે શું કરવું જોઈએ?

જો તમે ભૂલથી કોઈને પૈસા મોકલી દીધા હોય તો તે વ્યક્તિનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કરો.

તમારી પાસે રહેલી માહિતી સાથે તેમને શાંતિથી સમજાવો કે પૈસા ભૂલથી મોકલવામાં આવ્યા હતા. ક્યારેક લોકો પ્રામાણિકપણે પૈસા પરત કરે છે.

જો તે વ્યક્તિ તમારી વાત ન સાંભળે અથવા જવાબ ન આપે અને પૈસા પરત કરવાનો ઇનકાર કરે તો

પહેલા વિલંબ કર્યા વિના તમારી બેન્કને જાણ કરો.બીજું UPI એપ પર જાવ અને “Report Issue” અથવા “Raise Complaint” વિકલ્પ પસંદ કરો.

આ તમારી ફરિયાદનો રેકોર્ડ બનાવશે, જે પછીથી ઉપયોગી થશે. તમે BHIM એપ અથવા NPCI વેબસાઇટ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકો છો.

જો તમને બેન્ક તરફથી તાત્કાલિક નિરાકરણ ન મળે તો તમે તમારી ફરિયાદ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી શકો છો.

જો આ પછી કંઈ ન થાય તો તમે RBIને ફરિયાદ કરી શકો છો. આ હેઠળ તમે તમારા કેસની તપાસ માટે Integrated Ombudsman Schemeમાં અરજી કરી શકો છો.

UPIમાં સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસા મોકલતા પહેલા હંમેશા UPI ID અને નામ કાળજીપૂર્વક તપાસો.