અકાળ વૃદ્ધત્વ, સ્કિન કેન્સરને રોકવા માટે દરરોજ સનસ્ક્રીન લગાવવાની ભલામણ કરવામાં આવે છે.

આજકાલ લોકો તેમના ચહેરાની ત્વચા વિશે વધુને વધુ ચિંતિત બન્યા છે અને વિવિધ સારવારોનો આશરો લઈ રહ્યા છે.

ત્વચાને સુરક્ષિત રાખવા માટે સનસ્ક્રીન લગાવવું વધુને વધુ સામાન્ય બન્યું છે.

ઘણા લોકો ચિંતિત છે કે સનસ્ક્રીન વિટામિન ડીની અસરકારકતા ઘટાડે છે પરંતુ નિષ્ણાતોના મતે, આ માન્યતા મોટાભાગે ખોટી છે.

નિષ્ણાતો માને છે કે જ્યારે સૂર્યપ્રકાશમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં આવે છે ત્યારે વિટામિન ડી ત્વચામાં પ્રવેશ કરે છે.

યુવી કિરણોને અવરોધવા અને શોષવા માટે ત્વચા પર સનસ્ક્રીન લગાવવામાં આવે છે.

ઘણા લોકો માને છે કે દરરોજ સનસ્ક્રીન ત્વચામાં વિટામિન ડીનું ઉત્પાદન ઘટાડે છે.

નિષ્ણાતો મતે, આ અસર એટલી ગંભીર નથી જેટલી ઘણીવાર માનવામાં આવે છે.

જો કે, નિષ્ણાતો કહે છે કે ઘણા લોકો સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી

નિષ્ણાતોના મતે વિટામિન ડીની ઉણપ ફક્ત સનસ્ક્રીનને કારણે નથી, પરંતુ લોકોની જીવનશૈલીને કારણે પણ થાય છે.

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો