સ્વસ્થ રહેવા માટે શરીરમાં બધા જરૂરી પોષક તત્વો હોવા જરૂરી છે.



વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



શરીરમાં વિટામિન સીની ઉણપ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે



સ્કર્વી એ વિટામિન સીની ઉણપથી થતો સૌથી સામાન્ય રોગ છે.



આ રોગ મુખ્યત્વે કોલેજનનું ઉત્પાદન બંધ કરે છે, જે શરીરના પેશીઓને નબળા પાડે છે.



સ્કર્વીના લક્ષણોમાં પેઢામાંથી લોહી નીકળવું અને નબળા દાંત,થાક અને નબળાઈ વગેરે છે



વિટામિન સી આયર્નના શોષણમાં મદદ કરે છે. તેની ઉણપ શરીરમાં આયર્નની ઉણપનું કારણ બની શકે છે



વિટામિન સી શ્વેત રક્તકણોનું ઉત્પાદન વધારે છે, જે ચેપ સામે લડવામાં મદદ કરે છે.



તેની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે.



વિટામિન-સીની ઉણપથી બચવા માટે નારંગી, કીવી, સ્ટ્રોબેરી, જામફળ, ટામેટા, લીંબુ વગેરેને ડાયટમાં સામેલ કરો



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો