આજે પણ ઘણા લોકો બાળક માટે ફાયદાકારક માનીને મધ ખવડાવે છે



જોકે, વાસ્તવમાં આવું કરવું તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે.



નિષ્ણાતો પણ તેને એક બિનઆરોગ્યપ્રદ પ્રથા માને છે.



મધ 12 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ગંભીર રીતે બીમાર કરી શકે છે.



મધમાં ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિનમ નામના બેક્ટેરિયાના બીજકણ હોઈ શકે છે



જે બાળકોમાં ઇન્ફેન્ટ બોટ્યુલિઝમનું કારણ બની શકે છે. આ ફૂડ પોઇઝનિંગનું ગંભીર સ્વરૂપ છે



અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અનુસાર, 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના દૂધ અથવા ભોજનમાં કોઈપણ પ્રકારનું સ્વીટનર ઉમેરવાની જરૂર નથી.



બાળકોને મધની જરૂર નથી. સામાન્ય રીતે બાળકોને સુગર અને કોઈપણ પ્રકારની મીઠાશ ટાળવી જોઈએ.



આના કારણે તેમનું વજન બિનજરૂરી રીતે વધે છે અને દાંતનો સડો થાય છે.



બાળકોને ફળોમાંથી કુદરતી મીઠાશ મળે છે અને તેમને મીઠાશ આપવાની આ એક સ્વસ્થ રીત છે



પરંતુ છ મહિના સુધી તેમને માતાના દૂધ સિવાય બીજું કંઈ ન આપવું જોઈએ.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો