ભારતીય ઘરોમાં સદીઓથી દહીંનું સેવન કરવામાં આવે છે કારણ કે તે પ્રોબાયોટિક્સ અને હેલ્ધી ફેટનો ઉત્તમ સ્ત્રોત છે.



આયુર્વેદ અનુસાર, બદલાતી ઋતુઓ દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાથી સાવધાન રહેવું જોઇએ



ખાસ કરીને વરસાદની સીઝનમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ



આયુર્વેદ અનુસાર, ચોમાસામાં દહીંનું સેવન શરીરના ત્રણેય દોષો - વાત, પિત્ત અને કફને અસર કરી શકે છે.



આ શરીરને નબળું પાડી શકે છે અને ઘણા મોસમી રોગોનું કારણ બની શકે છે.



આયુર્વેદમાં જણાવાયું છે કે ચોમાસા દરમિયાન દહીં જેવા ઠંડા ડેરી ઉત્પાદનોનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે.



ઠંડા ખોરાકનો વધુ પડતો ઉપયોગ શરીરમાં લાળનું નિર્માણ વધારે છે, જેના કારણે પેટનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે



જો તમે ચોમાસા દરમિયાન દહીં ખાવા માંગતા હોવ તો તેને યોગ્ય રીતે ખાવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.



તેમાં એક ચપટી શેકેલું જીરું, કાળા મરી અથવા મધ ઉમેરવું શ્રેષ્ઠ છે.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો