વજન ઘટાડવા માટે દોડવું (રનિંગ) એ એક શ્રેષ્ઠ કસરત છે, પરંતુ કેટલું દોડવું તે તમારી ફિટનેસ પર આધાર રાખે છે.



ખોટી જાણકારીના અભાવે વધુ પડતું દોડવાથી ઈજા થઈ શકે છે, જ્યારે ઓછું દોડવાથી ધાર્યું પરિણામ મળતું નથી.



જો તમે શિખાઉ છો: જો તમે હમણાં જ શરૂઆત કરી રહ્યા છો, તો દરરોજ 2 થી 3 કિલોમીટર દોડવું તમારા માટે શ્રેષ્ઠ છે.



આટલું અંતર ધીમે-ધીમે તમારી સહનશક્તિ વધારશે અને ઈજાના જોખમ વિના કેલરી બર્ન કરશે.



જો તમે નિયમિત કસરત કરો છો: જો તમારી ફિટનેસ સારી હોય, તો દરરોજ 5 થી 7 કિલોમીટર દોડવાનું લક્ષ્ય રાખી શકો છો.



આટલું અંતર તમારું મેટાબોલિઝમ સુધારશે, હૃદયને સ્વસ્થ રાખશે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરશે.



યાદ રાખો, આહાર જરૂરી છે: માત્ર દોડવું પૂરતું નથી. વજન ઘટાડવા માટે તેની સાથે પૌષ્ટિક આહાર લેવો અત્યંત જરૂરી છે.



દોડતા પહેલાં ફળ કે નટ્સ જેવા હળવા નાસ્તાથી ઉર્જા મેળવો.



દોડ્યા પછી, મસલ્સને રિપેર કરવા માટે પ્રોટીનયુક્ત આહાર જેમ કે પનીર, ઈંડા કે દાળ ખાઓ.



કસરત દરમિયાન અને પછી પુષ્કળ પાણી પીને શરીરને હાઈડ્રેટેડ રાખો, નહીંતર થાક લાગશે અને પરિણામ ઓછું મળશે.