આવતીકાલથી શારદીય નવરાત્રિના ઉપવાસ શરૂ થઈ રહ્યા છે, ત્યારે ઘણા લોકોને કસરત કરવી કે નહીં તે અંગે મૂંઝવણ હોય છે.



ફિટનેસ નિષ્ણાતોના મતે, ઉપવાસ દરમિયાન કસરત કરવી કે નહીં તેનો આધાર તમે કેટલી કેલરી લઈ રહ્યા છો તેના પર છે.



ક્યારે કસરત કરી શકાય?: જો તમે ઉપવાસમાં પૂરતા પ્રમાણમાં ફળો, જ્યુસ અને અન્ય ફરાળી વસ્તુઓ ખાઈને કેલરી જાળવી રહ્યા હો, તો તમે હળવી કસરત કરી શકો છો.



ક્યારે ન કરવી?: જો તમે ખૂબ જ ઓછી કેલરી લઈ રહ્યા હો અથવા માત્ર પાણી પર ઉપવાસ કરી રહ્યા હો, તો તીવ્ર કસરત કરવાનું ટાળવું જોઈએ.



કારણ: કસરત કરવાથી કેલરી બળે છે. ઓછી કેલરીવાળા આહાર સાથે વધુ કસરત કરવાથી શરીરમાં અતિશય થાક, નબળાઈ અને ચક્કર આવી શકે છે.



આવી સ્થિતિમાં, ભારે વર્કઆઉટને બદલે માત્ર સામાન્ય ચાલવું કે હળવા યોગા કરવા જ યોગ્ય છે.



ઉપવાસ દરમિયાન શરીરને ઉર્જાની વધુ જરૂર હોય છે, તેથી વધુ પડતી કસરત કરીને ઉર્જાનો વ્યય ન કરવો જોઈએ.



હાઈડ્રેશન જરૂરી છે: ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી, ફળોના રસ અને સ્મૂધી પીને શરીરને હાઈડ્રેટેડ રાખો.



લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાનું ટાળો અને થોડા-થોડા સમયે ફળાહાર કરતા રહો.



આમ, તમારા શરીરની ક્ષમતા અને આહારને ધ્યાનમાં રાખીને જ કસરત અંગેનો નિર્ણય લેવો જોઈએ.