✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં નહીં જાય આમિર ખાન, કહ્યું-મને આમંત્રણ નથી મળ્યું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2018 11:03 AM (IST)
1

નોંધનીય છે કે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે ચાર દિવસ અગાઉ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનના લોકો ઇચ્છે છે કે આમિર ખાન નવા વડાપ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા આવે.

2

આ રિપોર્ટ પર આમિર ખાને જવાબ આપ્યો હતો. આમિરે જણાવ્યું કે, તેને પાકિસ્તાન તરફથી ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે તેને કોઇ આમંત્રણ મળ્યું નથી અને ના તે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે.

3

ઇમરાન ખાનના શપથગ્રહણ કાર્યક્રમને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દુનિયાભરના પ્રખ્યાત લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટસ અનુસાર, ભારતમાં ક્રિકેટ જગતની હસ્તીઓ સુનીલ ગવાસ્કર, કપિલ દેવ અને નવજોતસિંહ સિદ્ધુને આમંત્રણ આપવામાં આવ્યું છે. તો બીજી તરફ રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આમિર ખાનને આમંત્રણ અપાયું છે અને તે શપથગ્રહણમાં ભાગ લેવા પાકિસ્તાન જશે.

4

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા ઇમરાન ખાન વડાપ્રધાન બનાવવાનું લગભગ નક્કી થઇ ગયું છે. 11 ઓગસ્ટના રોજ ઇમરાન ખાન વડાપ્રધાન પદના શપથ લેશે અને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનશે.

  • હોમ
  • દુનિયા
  • ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં નહીં જાય આમિર ખાન, કહ્યું-મને આમંત્રણ નથી મળ્યું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.