વિજય માલ્યા સામે લંડનની કોર્ટમાં આજે થશે સુનાવણી, મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે!
પહેલી વાર- લંડન એડમિનિસ્ટેશને માલ્યાની રેડ કોર્નર નોટિસનાઆધાર પર પહેલી વાર 18 એપ્રિલે ધરપકડ કરી હતી પરંતુ ત્યારે તેને 3 કલાકમાં જ જામીન આપી દેવામાં આવ્યા હતા. બીજી વાર- ફરી 3 ઓક્ટોબરે મની લોન્ડરિંગના બીજા કેસમાં માલ્યાની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે પણ અડઘો કલાકમાં જામીન મળી ગયા હતા.
નવી દિલ્હીઃ 9000 કરોડ રૂપિયાનું દેવું ન ચૂકવવાના કેસમાં ભાગેડું જાહેર થયેલ લિકર કિંગ વિજય માલ્યાના પ્રત્યર્પણ મુદ્દે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં આજથી સુનાવણી શરૂ થશે. આ પહેલા માલ્યાના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ભારતીય જેલમાં વિજ્ય માલ્યાના જીવને જોખમ હોઈ શકે છે. તેની સાથે જ વકીલે ભારતીય જેલમાં માનવાધિકાર ઉલ્લંઘનના અનેક કેસ પણ રજૂ કર્યા હતા. જ્યારે આજે ભારત તરફથી દલીલ કરવામાં આવશે કે ભારતમાં કેદીઓની સ્થિતિ અનેક દેશની તુલનામાં ઘણી સારી છે.
મળેલી જાણકારી અનુસાર બ્રિટેનથી ભારત લાવવા પર વિજય માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ક્રાઉન પ્રોસિક્યૂશન સર્વિસ (સીપીએસ) દ્વારા ભારત બ્રિટેનની કોર્ટમાં આ મામલે જાણકારી આપશે. પ્રી- ટ્રાયલ દરમિયાન તેમના વકીલે કહ્યું હતું કે, ભારતમાં વિજય માલ્યાને જીવનું જોખમ છે. ત્યારપછી માલ્યાની સુરક્ષા વધારવાની તૈયારી કરવામાં આવી હતી.
વેસ્ટમિંટર કોર્ટે સુનાવણી દરમિયાન જણાવ્યું કે, 4, 5, 6, 7, 11, 12, 13 અને 14 ડિસેમ્બરે આ કેસની સુનાવણી કરવામાં આવશે. ડિફેન્સ ટાઈમ ટેબલ પ્રમાણે 24 ડિસેમ્બરે નિર્ણય સંભળાવામાં આવશે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પહેલાં કોર્ટે લેખિતામાં દલીલ જમા કરવવા કહ્યું હતું પરંતુ બંને પક્ષ વ્યસ્ત હોવાથી જજે સલાહ આપી છે કે, ઓરલ ક્લોઝિંગ સબમિશનને પુરૂ કરવાની જગ્યાએ જાન્યુઆરીમાં અડધા દિવસની સુનાવણી રાખવામાં આવશે.