ઇન્ડોનેશિયાઃ ભૂસ્ખલનમાં 30 ઘર દબાયા, 15ના મોત 20 લોકો લાપતા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Jan 2019 09:41 AM (IST)
1
અહીં સોમવારે રાત્રે ભૂસ્ખલન થયુ હતુ, વરસાદ અને કીચડથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે સુરક્ષા એજન્સીઓના જવાનો કાટમાળમાંથી લોકોની બહાર કાઢવામાં લાગી ગયા છે.
2
રાષ્ટ્રીય કુદરતી આફત પ્રબંધન એજન્સી (બીએનપીબી)ના પ્રવક્તા સતોપો પુરવો નુગ્રોહોએ ટ્વીટ કરીને કહ્યું કે, સુકાબુમી શહેરમાં બચાવ અને રાહત કાર્ય ચાલુ છે.
3
જકાર્તાઃ ઇન્ડોનેશિયામાં કુદરતી આફતનો સિલસિલો બંધ થવાનું નામ નથી લેતુ. તાજેતરમાંજ સુનામીની તબાહી ઝીલ્યા બાદ ઇન્ડોનેશિયાના જાવા દ્વીપમાં ભૂસ્ખલનના કારણે 30 ઘર દબાઇ ગયાની ઘટના બની છે, આમાં 15 લોકોના મોત થઇ ગયા છે જ્યારે 20થી વધુ લોકો હજુ પણ લાપતાની સ્થિતિમાં છે, તપાસ ચાલુ છે.