ફેસબુકે માલિક ઝકરબર્ગ સહિત 10 લાખ યૂઝર્સને 'મૃત' જાહેર કર્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 12 Nov 2016 12:42 PM (IST)
1
ફેસબુકે સ્વીકાર્યું કે આ એક ભયાનક ભૂલ હતી, તેને સુધારી લેવામાં આવી છે.
2
એટલું જ નહીં ફેસબુકના સ્થાપક અને સીઈઓ માર્ક ઝકરબર્ગને પણ શ્રદ્ધાંજલિવાળો મેસેજ તેના ફેસબુક પર પોસ્ટ થઈ ગયો. ઇન્ડિયન એક્સપ્રેસની વેબસાઈટ પર પ્રકાશિત સમાચાર અનુસાર અંદાજે 10 લાખ લોકો તેનો ભોગ બન્યા છે.
3
સમાચાર અનુસાર શ્રદ્ધાંજલીવાળા અંદાજે 20 લાક મેસેજ લોકોની પ્રોફાઈલમાં પોસ્ટ થઈ ગયા ત્યાર બાદ ફેસબુકે તેના પર માફી માગતા ભૂલને તાત્કાલીક સુધારવાની વાત કહી હતી.
4
ફેસબુકના પ્રવક્તાએ જણાવ્યું કે, થોડા જ સમય માટે, શ્રદ્ધાંજલિવાળો મેસેજ કેટલાક યૂઝર્સને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ થઈ ગયો હતો.
5
સાન ફ્રાન્સિસ્કોઃ ફેસુબકે ભૂલથી કેટલીક વ્યક્તિઓને મૃત જાહેર કરી દીધી પરંતુ બાદમાં તેણે પોતાની ભૂલ સ્વીકારતા તેને ભયાનક ભૂલ ગણાવી.