#SurgicalStrike અર અદનાન સામીએ Indian Army માટે કર્યું ટ્વીટ, પાકિસ્તાનીઓ ભડક્યા
સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકવાદીઓ માર્યા ગયા બાદ સમગ્ર પાકિસ્તાન અકળાઈ ગયું છે. ભારતની નાગરિકતા મેળવનાર ગાયક અદનાન સામી પર પાકિસ્તાનના લોકો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅદનાન સામીએ ગઈકાલે પીઓકેમાં હુમલા બાદ પીએમ મોદી અને ભારતીય સેાના જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેનાના આપણા બહાદુર જવાનોને આતંકવાદ વિરૂદ્ધ સફળ હુમલા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
ત્યાર બાદથી અદનાન પર પાકિસ્તાનીઓ પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો તેની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનમાં શુક્રવારે ટ્વીટર પર Adnan Sami ટ્રેન્ડ કરવા લાગ્યું.
પાકિસ્તાનમાં લોકોએ અદનાન સામીની ખૂબ ટીકા કરી અને તેમના નિવેદનને વખોડ્યું પણ. આ ટીકાના જવાબમાં સામીએ ફરીથી ટ્વીટ કર્યું, એવું લાગેછે કે આ લોકો આતંકવાદી અને પાકિસ્તાની બન્નેને એકસરખા ગણે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -