ભારતમાં લોકસભા ચૂંટણી પત્યા પછી મંત્રણાનો ફરી પ્રયત્ન કરાશેઃ ઈમરાન ખાન
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Oct 2018 05:53 PM (IST)
1
FIIમાં સંબોધન દરમિયાન ઈમરાન ખાને એમ પણ કહ્યું કે, પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) સાથે નવા રાહત પેકેજ અંગે પણ વાત કરશે. ઓગસ્ટમાં સત્તા સંભાળ્યા બાદ ઇમરાન ખાને ચીન અને સાઉદી અરેબિયા જેવા દેશો પાસેથી લોન માંગી છે.
2
રિયાધમાં યોજાયેલી ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ (FII)માં તેમણે કહ્યું કે, જ્યારે હું ચૂંટણી જીતીને સત્તામાં આવ્યો ત્યારે મેં પ્રથમ વસ્તુ ભારત સાથે શાંતીનો હાથ લંબાવ્યો હતો. હવે ત્યાં ચૂંટણી પત્યા પછી આ દિશામાં આગળ વધવાની અમને આશા છે.
3
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાને ભારત સાથે મંત્રણાને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પડોશી રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ વાતચીત કરવામાં આવશે. સાઉદી અરેબિયન ઈન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ દરમિયાન તેમણે આ જાહેરાત કરી હતી.