બાંગ્લાદેશમાં 15 હિંદુ મંદિરમાં કરવામાં આવી તોડફોડ, ફેસબુક પોસ્ટ બાદ ભડકી હિંસા
ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓના 15 મંદિરમાં કટ્ટરવાદીઓ દ્વાર તોડફોડકરી દેવી દેવતાઓની મુર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. કથિત રીતે ફેસબુક પર પોસ્ટ બાદ આ હિંસા ભડકી હતી. જેમા હિંદુઓના 200 જેટલા ઘરોમાં લૂંટફાટ મચાવવામાં આવી હતી. આ ઘટના બાદ બાંગ્લાદેશમાં હિંદુઓમાં ભયનો માહોલ ફેલાય છે.
આ હિંસા દરમિયાન 200 જેટાલા ટોળાને કાબુમાં લેવાના પ્રયાસમાં 150 જેટલા હિંદુઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.
રસરાજ નામના સ્થાનિક હિંદુએ ફેસબુક પર ફોટોશોપની મદદથી કાબાના પવિત્ર પથ્થર પર હિંદુ દેવતાની તસવીર મૂકી હતી. જેના લીધે ઉશ્કેરાયેલા લોકોએ હિંસા આચરી હતી. આ મામલે પોલીસે 30 વર્ષિય આરોપીની ધરપકડ કરી છે. તેના ઉપર ઇન્ટરનેટને લગતા કાયદા તોડવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર રવિવાર દિવાળીના દિવસે બપોરે હિંદુ વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં 15 મંદિરોમાં તોડફોડ કરીને મૂર્તિઓને પણ ખંડિત કરવામાં આવી હતી. તેમજ હિંદુઓના ઘરોને પણ તાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.