ગાંધીનગર: રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટેની 26 યોજના એક ઝાટકે બંધ કરી દીધી છે. ખેડૂતો લાભ ન લેતા હોવાનું કારણ આગળ ધરી કૃષિ વિભાગે 26 યોજના બંધ કરી છે. વર્ષ 2001થી વર્ષ 2022માં અમલમાં આવેલી 26 યોજનાઓ બંધ કરવામાં આવી છે. યોજનાનું બજેટ વણ વપરાયેલું પડ્યું રહેતું હોવાના કારણે યોજના બંધ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કેટલીક યોજનાઓમાં ડુપ્લીકેશન થતું હોવાના કારણે પણ બંધ કરાઈ હોવાનો અધિકારીએ દાવો કર્યો છે. બંધ કરાયેલી યોજનાઓનું બજેટ હવે ખેડૂતલક્ષી અન્ય યોજનામાં ફાળવવામાં આવશે.


કંઈ યોજના બંધ કરાઈ ? 


1 વર્ષ 2017 - 18માં અમલમાં આવેલી સરલ કૃષિ યોજના
2 વર્ષ 2019માં અમલમાં આવેલી પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન યોજના 
3 વર્ષ 2017 - 18ની બારડોલી ખાતર ચકાસણી પ્રોગશલા 
4 રાજ્યમાં ખેડૂતોને શહેરી વિસ્તારમાં ફાળો અને શાકભાજીના સીધા વેચાણ માટેની કાયમી સુવિધા આપવાની યોજના 
5 વર્ષ 2012 - 13ની ઘાસચારા વિકાસ કાર્યક્રમ 
6 વર્ષ 2017 - 18ની આંતરપાક તરીકે કઠોળ પાકના નિદર્શન 
7 વર્ષ 2017 - 18ની ચોખા પાકમાં SRI પદ્ધતિના નિદર્શન 
8 વર્ષ 2020 - 21ની સૂર્યપ્રકાશ જંતુ ટ્રેપ ખેતરમાં સ્થાપવાની યોજના 
9 વર્ષ 2017 - 18ની આંતરપાક તરીકે તેલીબિયાં પાકના નિદર્શન 
10 વર્ષ 2001 - 02ની કૃત્રિમ વરસાદના પ્રયોગની યોજના
11 વર્ષ 2021 - 22ની ઓટોમેટિક વેધર સ્ટેશન 
12 વર્ષ 2017 - 18ની સ્થનવર્તી જીવાત નિયંત્રણ 
13 વર્ષ 2017 - 18ની ડાંગ જિલ્લો 100 ટકા સેન્દ્રીય ખાતર હેઠળ 
14 વર્ષ 2021 - 22ની ડ્રમ અને ટોકર વિના મૂલ્યે પૂરા પડવાની યોજના 
15 વર્ષ 2021 - 22ની અને ટોકર વિના મૂલ્યે પૂરા પડવાની યોજના TASP
16 વર્ષ 2021 - 22 22ની અને ટોકર વિના મૂલ્યે પૂરા પડવાની યોજના SCSP
17 વર્ષ 2019ની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી પ્રક્રિયા માટે પ્રોત્સાહન 
18 વર્ષ 2014 - 15ની નેશનલ મિશન ફોર સસ્ટેબલ એગ્રિકલચર SHM કેન્દ્ર હિસ્સો નોર્મલ 
19 વર્ષ 2014 - 15ની નેશનલ મિશન ફોર સસ્ટેબલ એગ્રિકલચર SHM રાજ્ય હિસ્સો નોર્મલ 
20 વર્ષ 2020 - 21ની રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત કામદારોને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ આપવાની યોજના 
21 વર્ષ 2016 - 17ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો નોર્મલ 
22 વર્ષ 2016 - 17ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો SCSP
23 વર્ષ 2016 - 17ની પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના કેન્દ્ર હિસ્સો TASP
24 વર્ષ 2020 - 21ની ખેડૂતોને કૃષિ ક્ષેત્રે પાકોમાં ઇયાલોનો ઉપદ્રવ ઘટાડવા ફેરોમેન ટ્રેપ અને દેશી ખાતરનું ડીકમ્પોઝિસન કરવા માટે વેસ્ટ ડીકમ્પોઝર તૈયાર કરવાની યોજના 
25 વર્ષ 2011 - 12ની એજીઆર પર ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સી સંગીન બનાવવી 
26 વર્ષ 2017 - 18ની સમાયોજિત બિયારણ એકમની સ્થાપના 
 


ઉપલેટાના ખેડૂતે પ્રાકૃતિક પદ્ઘતિથી કરી કેળાની ખેતી


આપણા કૃષિપ્રધાન દેશમાં પ્રકૃતિ સંગાથે પ્રગતિની નવી દિશા આપનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઈ રહી છે. તેના સુખદ-ફાયદાકારક પરિણામો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે અત્રે વાત કરીશું ઉપલેટા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કાનાભાઈ સુવાની, જેમણે કેળામાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ખર્ચ નહિવત્ કરી નાંખ્યો છે, ઉત્પાદન વધાર્યું છે અને તેમની આવક બમણી થઈ છે.


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામમાં રહેતા કાનાભાઈ સુવાએ બે વર્ષ સુધી બે એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું ઉત્પાદન કર્યું છે. તેઓ જણાવે છે કે રાસાયણિક ખેતીમાં ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ રૂ. 12-15નો આવે જેના માટે ખાડો ખોદી પાયામાં ડી.એ.પી., એસ.એસ.પી. નાખવાનો ખર્ચ અને જંતુનાશક દવાઓનો ખર્ચ જોતાં છોડ મોટો થાય ત્યાં સુધીમાં એક એકરે કેળાની ખેતીમાં રૂ. 25 હજારથી 30 હજારનો ખર્ચ થઈ જાય. એક એકરમાં 1200-1300 છોડ આવે. જે મુજબ એક એકરમાં રૂ.35 હજારથી 40 હજારનો ખર્ચ થાય. જયારે પ્રાકૃતિક ખેતીમાં આવો કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી.


કાનાભાઈ માત્ર ગાયના ગોબર અને ગૌમુત્ર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થો જીવામૃત અને ઘન જીવામૃતનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ જાતના અન્ય ખાતરની જરૂરિયાત રહેતી જ નથી. ઘન જીવામૃત દર ત્રણ મહીને છાંટવાથી પણ ઉત્તમ પરીણામ મળે છે. માત્ર જીવામૃત અને ઘનજીવામૃતનાં ઉપયોગથી પણ કાનાભાઈના ખેતરમાં અંદાજે 20 કિલોગ્રામથી 25 કિલોગ્રામ સુધીની કેળાની લૂમ છોડ પર ઝૂલી રહી છે.


કાનાભાઈ 1 એકરમાં રસાયણયુકત ખેતી અને પ્રાકૃતિક ખેતીની સરખામણી કરતા જણાવે છે કે રસાયણયુકત ખેતીમાં કેળાનું ઉત્પાદન 15 હજાર કિલોગ્રામ થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિ 20 હજાર કિલોગ્રામ ઉત્પાદન આપે છે. તેમજ વેચાણ કરતા પ્રતિ કિલોગ્રામ રૂ. 20 અને પ્રાકૃતિક કૃષિમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 30નો ભાવ મળે છે. રસાયણયુકત ખેતીમાં ખર્ચ રૂ. 35 હજારથી 40 હજારની સામે પ્રાકૃતિક કૃષિમાં માત્ર રૂ. 10 હજારનો ખર્ચ થાય છે. જયારે રસાયણયુકત ખેતીમાં કુલ આવક રૂ 3 લાખની સામે પ્રાકૃતિક કૃષિમાં રૂ. 6 લાખની કુલ આવક થાય છે. એટલે કે રસાયણયુકત ખેતીમાં ચોખ્ખો નફો રૂ. 2 લાખ 60 હજાર થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિમાં ચોખ્ખો નફો રૂ. 5 લાખ 90  હજાર થાય છે.



આ પદ્ધતિમાં ખર્ચ કાયમ માટે નહિવત્ રહેવાનો છે અને ઉત્પાદન ક્રમશ: વધતું રહેવાનું છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધતો જાય છે. આ વર્ષે કેળાનું ઉત્પાદન લીધું હોય તે બીજા વર્ષે વધશે. કારણ કે એક છોડના બદલે બે છોડમાં લૂમ આવશે. કેળાની ગુણવત્તા એટલે કે સ્વાદ અને સુગંધ સારી હોવાથી તેના ભાવ પણ વધુ મળે છે. કાનાભાઈ રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કેળાનું રીટેઇલ વેચાણ કરવા ઉપલેટા જાઉં છું, ત્યારે લોકો મારી પાસે જ કેળા લેવાનો આગ્રહ રાખે છે. બીજે ક્યાંય જતા નથી, જે વાતની મને ખુશી છે.