રાજકોટ: પશુપાલન અધિકારીઓએ લમ્પીના કારણે ગાય માતાના મોતના આંકડાઓ છુપાવ્યા હોવાની હકીકત સામે આવી છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં અસંખ્ય ગાયોના મૃત્યુ થયા છે. સરકારી આંકડામાં અત્યાર સુધીમાં માત્ર 24 ગાયોના જ મૃત્યુ થયાની નોંધ છે. રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલા હલેન્ડા અને ડુંગરપુર સંયુક્ત ગ્રામ પંચાયત છે.


 



આ બંને ગામમાં અત્યાર સુધીમાં ગાયોના 100 મૃત્યુ થયા છે. ગ્રામ પંચાયતના સરપંચનો દાવો છે કે, ગ્રામ પંચાયતમાં પણ નોંધ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારીઓ સાચા કે ગ્રામ પંચાયતના લોકો કે પછી માલધારીઓ અને ખેડૂતો કોણ સાચું. 280થી વધુ ગામડાઓ તો લમ્પીને લઈને અસરગ્રસ્ત થયા છે તો પછી શું માત્ર અત્યાર સુધીમાં 24 ગાયોના જ મોત થયા છે.


જીવની જેમ ગાયોને સાચવતી માલધારી બહેનો વાત કરતા કરતા રડવા માંડ્યા હતા. પોતાના સંતાન કરતાં પણ વ્હાલી ગાયોમાં લમ્પીનો રોગ આવ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના અગ્રણીએ પણ ગામની મુલાકાત લીધી હતી અને સરપંચ તથા ગામની બહેનોએ abp asmita સાથે વાત કરી હતી.


 પોરબંદરમાં લમ્પી વાયરસનો કહેર
પોરબંદર સહિત રાજ્યભરમાં લમ્પી વાઇરસના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય પશુપાલન અને ડેરી વિભાગના રાજ્યમંત્રી પરોષોત્તમ રૂપાલા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા અને લમ્પી વાઇરસ અંગે  સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું.


આ તકે કેન્દ્રીય મંત્રી પરોષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે પોરબંદર  સહિત રાજ્યભરમાં લમ્પી  વાયરસના ભરડામાં ગૌવંશ આવ્યો છે,  તેની સામે રાજ્ય અને કેન્દ્ર સરકાર તકેદારીના તમામ પગલાં લઈ રહી છે. પશુઓને વેકસીનેશન આપવાની કામગીરી ચાલી રહી છે.  પોરબદરમાં ગૌવંશને બચાવા માટે સામાજિક સંસ્થા આગળ આવી છે ખૂબ આવકારદાયક છે. ખાસ નેહલબેન કારાવદરા અને તેમની ટિમની કામગીરીને બિરદાવી હતી સેવાભાવી સંસ્થાના કારણે પોરબદરમાં પશુઓમાં લમ્પી વાયરસ સંક્રમણ ઘટ્યું છે અને મૃત્યુઆંકમાં ઘટાડો થયો હોવાનું રૂપાલાએ જણાવ્યું હતું. પોરબંદરમાં લમ્પી  વાયરસ સામે લડવા માટે સેવાભાવી સંસ્થા આગળ આવી છે તેવો પ્રયોગ દેશ અને રાજ્ય માં પણ કરવામાં આવશે