Fasal Bima Pathshala: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે 'ખેડૂત ભાગીદારી પ્રાથમિકતા અમારી' અભિયાન હેઠળ દેશભરમાં ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમની તાજેતરમાં અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે તેમણે હજારો ખેડૂતોને સંબોધિત કર્યા હતા.


ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમ શું છે?


ફસલ બીમા પાઠશાળા કાર્યક્રમનો ઉદ્દેશ્ય વર્તમાન ખરીફ સીઝન 2022 માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) ના મુખ્ય પાસાઓ જેમ કે યોજનાની મુખ્ય જોગવાઈઓ, પાકના વીમાનું મહત્વ અને ખેડૂતોને માહિતગાર કરવાનો છે.  આ ઉપરાંત યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તે અંગે ખેડૂતોને જાગૃત કરવાનો છે.


અભિયાનમાં ખેડૂતોને ઘણી માહિતી આપવામાં આવશે


આ વિશેષ ઝુંબેશ હેઠળ, PMFBY ના મહત્વ અને ખેડૂતો આ યોજના હેઠળ કેવી રીતે નોંધણી કરાવી શકે અને તેઓ યોજનાનો લાભ કેવી રીતે લઈ શકે તેના પર વ્યાપક ધ્યાન આપવામાં આવશે. કુદરતી આફતો દરમિયાન પાકના નુકસાન અને કાપણી પછીના નુકસાનની માહિતી, ખેડૂતોની અરજીની અપડેટ માહિતી, ફરિયાદ નિવારણ માટે ખેડૂતો સંપર્ક કરી શકે છે તે અંગે ખેડૂતોને વિગતવાર સમજાવવામાં આવશે. જેથી તેઓ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે.  


ક્યારે શરૂ કરવામાં આવી હતી PMFBY યોજના


કેન્દ્ર સરકારે 2016 માં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ્ય બિનમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, દુષ્કાળ, પૂર, ભૂસ્ખલન, ચક્રવાત, વાવાઝોડા, જીવાતો અને રોગો જેવા અનેક બાહ્ય જોખમોમાંથી ઉદ્ભવતી કોઈપણ કુદરતી આફતને આવરી લઈ નુકસાન માટે વળતર આપવાનો છે.


આ પણ વાંચોઃ


Banana Farming: ગુજરાતમાં કેળની આ જાતો છે પ્રચલિત, જાણો રાજ્યના કેટલા જિલ્લામાં થાય છે આ ખેતી


Agriculture News:  ગુજરાતનો ખેડૂત બિયારણ, ખાતર સહિત ખેતીને લગતા મૂંઝવતા પ્રશ્નોનું તાત્કાલિક મેળવી શકશે સમાધાન, આ નંબર કરો ડાયલ


Organic Farming: ધો.12 સુધી ભણ્યા બાદ આ યુવકે ખેતી કરવાનો લીધો ફેંસલો, આજે કરે છે લાખોની કમાણી