Gujarat Agriculture News: ગુજરાતનો ખેડૂત હવે રસાયુક્ત ખેતીના બદલા પ્રાકૃતિક ખેતી કરતો થયો છે. પ્રાકૃતિક કૃષિ એ સમયની માગ છે. ધરતી માતાને બચાવવાનો એકમાત્ર વિકલ્પ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જ છે. ગાંધીનગર નજીક અડાલજ ખાતે અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના કુમાર છાત્રાલય અને શિક્ષણ સંકુલનું ઉદઘાટન તેમજ જનસહાયક જનસહાયક ટ્રસ્ટ હીરામણી આરોગ્ય ધામનું ભૂમિપૂજન વર્ચ્યુઅલ માધ્યમથી કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં કહ્યું કે, શિક્ષણ અને પોષણના આ નવનિર્મિત પ્રકલ્પોનો ગુજરાતના સામાન્ય માનવીને મોટો લાભ થશે.


આ સંદર્ભે તેમણે કહ્યું કે, જ્યાં મા અન્નપૂર્ણા દેવીની પૂજા થતી હોય ત્યાં કુપોષણને કોઈ અવકાશ ન હોઈ શકે, કુપોષણ માટે પોષણનું અજ્ઞાન જવાબદાર હોય છે. કોરોના મહામારીને કારણે દુનિયામાં અન્નના ભંડારો ખુટી રહ્યા છે ત્યારે ભારતનો ખેડૂત દુનિયાભરને ભોજન-પોષણ પુરૂ પાડવા માટે સક્ષમ છે તેની નોંધ વૈશ્વિક ફલક પર લેવાઈ છે.


પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ કરીને આપણી ધરતી માને બચાવવા જેટલું કરી શકીએ એટલું કરીએ. ધરતી માની શક્તિ એટલે છે કે, 3-4 વર્ષમાં તો આપણે સૌ ફૂલીફાલી ઉઠીશું.સમૃદ્ધ બનીશું.




આ પણ વાંચોઃ


દારૂના તસ્કરોનો જુગાડ જોઈ તમે પણ માથું ખંજવાળશો. ઉભો રાખો તો LPG સિલિન્ડર, ઉંધો કરો તો દારૂનું ગોડાઉન – જુઓ વીડિયો


Coronavirus: ચોથી લહેરના ભણકારાઃ દેશના 29 જિલ્લામાં કોરોના બેકાબૂ, ગુજરાત સહિત આ રાજ્યમાં વધી રહ્યા છે કેસ


IPL 2022, CSK vs RCB: રાયડૂએ એક હાથે પકડ્યો સીઝનનો બેસ્ટ કેચ, ફેન્સે કહ્યું – ‘ઉડતા રાયડૂ’


Mid Day Meal: આ રાજ્ય સ્કૂલોમાં મધ્યાહન ભોજનમાં આપશે ઈંડા, જાણો વિગત