અહમદ પટેલ માટે ખતરારૂપ કોંગ્રેસના આ 15 ધારાસભ્યો તેમને હરાવી શકે, જાણો કઈ રીતે ?

અશ્વિન કોટવાલ, ખેડબ્રહ્મા(એસટી) , સાબરકાંઠા
મણીલાલ વાઘેલા, વડગામ, બનાસકાંઠા
રમેશ ચાવડા, કડી, મહેસાણા
કામિનીબા રાઠોડ, દેહગામ, ગાંધીનગર
નટવરસિંહ ઠાકોર, મહુધા, ખેડા
મહેશ પટેલ, પાલનપુર, બનાસકાંઠા
ગોવાભાઈ રબારી, ડીસા, બનાસકાંઠા
અનિલભાઈ જોશીયારા, ભીલોડા, અરવલ્લી
બળદેવજી ઠાકોર, કલોલ, મહેસાણા
ગૌતમભાઈ ચૌહાણ, મહેમદાબાદ, ખેડા
ગેંદલભાઈ ડામોર, સંતરામપુર, મહિસાગર
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાની 8 ઓગસ્ટે યોજાનારી ચૂંટણી માટે અહમદ પટેલ અને બળવંતસિંહ રાજપૂત વચ્ચે જોરદાર ટક્કર છે ત્યારે કોંગ્રેસના 15 ધારાસભ્યો એવા છે કે અહમદ પટેલનો ખેલ બગાડી શકે છે. આ ચૂંટણીમાં આ 15 ધારાસભ્યો અહમદ પટેલની વિરૂધ્ધ મતદાન કરીને અહમદ પટેલને હરાવી શકે છે.
બીજી રીતે પણ આ 15 ધારાસભ્યો અહમદ પટેલને હરાવી શકે. આ ચૂંટણીમાં 'નોટા'નો ઉપયોગ કરવાની ધારાસભ્યોને છૂટ છે. આ સંજોગોમાં આ ધારાસભ્યો કોઈને મત ના આપે એવું બને. કોંગ્રેસ પાસે અત્યારે 44 ધારાસભ્યો છે ને બીજા 4નો ટેકો છે તેવો દાવો કરાય છે. આ સંજોગોમાં કોંગ્રેસની પાસે હાલમાં 48 ધારાસભ્યોનો ટેકો છે.
આ 15 ધારાસભ્યો 'નોટા'નો ઉપયોગ કરે તો કોંગ્રેસના ઉમેદવાર અહમદ પટેલને 33 મત મળે ને અહમદ પટેલ હારી જાય. આ તમામ ધારાસભ્યો શંકરસિંહ વાઘેલાના ચુસ્ત સમર્થક છે તેથી અહમદ પટેલ માટે ખતરો છે. અહમદ પટેલ માટે ખતરારૂપ આ 15 ધારાસભ્યો કોણ છે તે જાણો.
કરમશીભાઈ પટેલ, સાણંદ, અમદાવાદ
કાંતિ ખારાડી, દાંતા, બનાસકાંઠા
જોઇતાભાઈ પટેલ, ધાનેરા, બનાસકાંઠા
મહેન્દ્રસિંહ બારિયા, પ્રાંતિજ, સાબરકાંઠા