✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ પાંચમી ઓગસ્ટે હાર્દિકે બોલાવ્યું પાટીદારોનું સંમેલન, કેટલા લોકો રહેશે હાજર?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2017 03:29 PM (IST)
અમદાવાદઃ પાંચમી ઓગસ્ટે હાર્દિકે બોલાવ્યું પાટીદારોનું સંમેલન, કેટલા લોકો રહેશે હાજર?
1

હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદારોને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરાયું છે. આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરાઇ છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં ૫ ઓગસ્ટે ૩૦ હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળશે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી ૧-૧ પાટીદાર આવશે. ઉપરાંત ૨૬ ઓગસ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં ૫૦ હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.

2

અમદાવાદઃ અનામતની માંગણી સાથે શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી સક્રિય થઈ રહ્યું છે. આગામી 25મી ઓગસ્ટે પાટણમાં 51 હજાર યુવકો ભેગા થવાના છે. આ પહેલા હાર્દિક પટેલે પાંચમી ઓગસ્ટે પાટીદારોના સંમેલનનું અમદાવાદ ખાતે આયોજન કર્યું છએ. આ સંમેલનમાં 30 હજાર પીટાદારો ઉપસ્થિત રહેવાના છે.

3

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિકના જણાવ્યા અનુસાર અલગ-અલગ માંગણીઓ સાથે શરૂ થયેલું આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે અને આ આંદોલનમાં ૧૩ જેટલા યુવાનોની આહુતિ લેવાઇ છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ પાંચમી ઓગસ્ટે હાર્દિકે બોલાવ્યું પાટીદારોનું સંમેલન, કેટલા લોકો રહેશે હાજર?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.