✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસ તમામ 43 ધારાસભ્યોને નહી કરે રીપીટ, જાણો ક્યા 5 ધારાસભ્યોની કપાશે ટીકિટ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Oct 2017 10:28 AM (IST)
કોંગ્રેસ તમામ 43 ધારાસભ્યોને નહી કરે રીપીટ, જાણો ક્યા 5 ધારાસભ્યોની કપાશે ટીકિટ ?
1

સૌરાષ્ટ્રમાં માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજાએ પણ પોતાના બદલે પોતાના પુત્રને ટીકિટ આપવાની માગણી કરી હોવાના અહેવાલ છે. તેના કારણે તેમને રીપીટ નહીં કરાય ને તેમના પરિવારજનને ટિકીટ અપાશે. અલબત્ત આ અહેવાલોને કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીત સમર્થન નથી અપાયું.

2

ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલને પણ કોંગ્રેસ રીપીટ નહીં કરે તેવું મનાય છે. ઈશ્વરભાઈ સામે સ્થાનિક કક્ષાએ ભારે વિરોધ થયો હોવાની ચર્ચા છે. તેના કારણે તેમને કાપવામાં આવશે.

3

મધ્ય ગુજરાતમાં પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલે પણ ચૂંટણી નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે પોતાના પુત્ર માટે ટીકિટ માગી છે. નિરંજન પટેલની વય 71 વર્ષની છે તેથી તે પણ પોતાનાં સંતાનોને આગળ કરીને નિવૃત્ત થવા માગે છે.

4

આ ઉપરાંત વ્યારાના પૂનાભાઈ ગામીતને પણ ટીકિટ નહીં અપાય તેવી શક્યતા છે. વ્યારા બેઠક પરથી તુષાર ચૌધરી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. તેના કારણે પૂનાભાઈને ટીકિટ નહીં મળે. જો કે પૂનાભાઈને કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીમાં ટીકિટ આપવાનું વચન આપી ચૂકી હોવાની ચર્ચા છે.

5

કોંગ્રેસનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જેમને રીપીટ નહીં કરાય તેવા ધારાસભ્યોમાં કાંકરેજના ધારશીભાઈ ખાનપુરાનું નામ ટોચ પર છે. ખાનપુરાની વય 78 વર્ષ છે તેથી તેમને નિવૃત્ત કરી દેવાશે. તેમના બદલે તેમના ચાર પુત્રોમાંથી કોઈ એકને ટિકીટ અપાશે તેવું મનાય છે.

6

કોંગ્રેસ જેમને ટીકિટ નહીં આપે તેવા ધારાસભ્યોમાં કેટલાક ધારાસભ્યો એવા છે કે જેમની ઉંમર થઈ ગઈ છે જ્યારે કેટલાક ધારાસભ્યો એવા છે કે જેમણે પોતાના બદલે પોતાના સ્વજનોને ટીકિટ આપવાની માગણી કરી છે. આ ધારાસભ્યોના બદલે કોને ટીકિટ આપવી તે અંગે કોંગ્રેસ પછીથી નિર્ણય લેશે.

7

જો કે આ પસંદગીમાં મહત્વની વાત એ છે કે કોંગ્રેસ તેના વર્તમાન તમામ 43 ધારાસભ્યોને રીપીટ નહીં કરે. કોંગ્રેસે જે યાદી તૈયાર કરી છે તેમાં 38 વર્તમાન ધારાસભ્યોને રીપીટ કરવાનો નિર્ણય લેવાયો છે જ્યારે 5 ધારાસભ્યોની ટીકિટ કપાશે. આ ટીકિટ કપાવા માટે અલગ અલગ કારણો છે.

8

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના ટોચના પ્રદેશ આગેવાનોની હાજરીમાં મંગળવારે નવી દિલ્લી ખાતે કોંગ્રેસ સ્ક્રિનીંગ કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યની તમામ 182 બેઠકોના ઉમેદવારોની ચર્ચા થઈ હતી ને તેમાં 95 ઉમેદવારો નક્કી કરાયા હોવાનું મનાય છે. આ ઉમેદવારોની જાહેરાત એકાદ-બે દિવસમાં કરાશે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસ તમામ 43 ધારાસભ્યોને નહી કરે રીપીટ, જાણો ક્યા 5 ધારાસભ્યોની કપાશે ટીકિટ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.