તુ મારા પતિ સાથે કેમ સૂએ છે? યુવતીને પાડોશણે ધમકાવી ને શું આવ્યું પરિણામ? જાણો
આ બનાવને કારણે રેણુદેવીને આઘાત લાગતાં તેમણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. રેણુદેવીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા માટે અજીત જયસ્વાલ અને તેમની પત્ની હિરાવતી જવાબદાર હોવાની ઓઢવ પોલીસે ફરિયાદ નોંધી છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે શુક્રવારે રેણુદેવી ઘરમાં હતા ત્યારે હીરાવતી તેમના ઘરમાં આવી હતી અને ‘તુ મારા પતિ સાથે કેમ સૂએ છે? એમ કહી ધમકાવી હતી. હીરાવતીએ રેણુદેવી પર પોતાના પતિ સાથે સેક્સ સબંધોનો આક્ષેપ મૂક્યો હતો.
અશોકસિંહના બાજુના મકાનમાં રહેતા અજીત જયસ્વાલ અને તેમની પત્ની હિરાવતી જયસ્વાલના કારણે રેણુદેવીએ આત્મહત્યા કરી હોવાની ફરિયાદ અશોકભાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓઢવ રીંગ રોડ પર આવેલા સ્વામીનાથના મકાનમાં રહેતા અશોક ધર્મપાલસિંહ ઠાકુરની પત્ની રેણુ દેવીએ તેમના મકાનમાં આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટના અંગે મૃતક પરિણિતાના પતિએ ઓઢવ પોલીસમાં તેના પાડોશી દંપતી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ પ્રકરણમાં ગુનો નોંધી પાડોશી દંપતીની ધરપકડ કરવા માટેના પ્રયાસો તેજ કર્યા છે.
અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક યુવતીને પોતાના પતિ સાથે સેક્સ સબંધો હોવાની શંકા રાખીને પડોશી મહિલાએ ધમકાવતાં યુવતીએ આપઘાત કરી લીધો હોવાની કરૂણ ઘટના બની છે. આપઘતા કરનારી યુવતી પણ પરિણીત હતી.