✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

AAPનો આક્ષેપઃ 16મીએ કેજરીવાલની સુરત રેલીથી ડરેલી ભાજપ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Oct 2016 05:41 PM (IST)
1

આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે, અરવિંદ કેજરીવાલની સુરતની રેલીથી ડરી ગયેલી ભાજપ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાનું બહાનું કાઢીને ગુજરાતમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાના નિર્ણય લીધો છે. આપની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, 16 તારીખે કેજરીવાલ સુરત ખાતે 2017 વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષીને સૌ પ્રથમ જાહેરસભા કરવા જઈ રહ્યા છે, ત્યારે ગુજરાતભરમાં લોકોમાં તેમને જોવા અને સાંભળવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે ગુજરાતની બહાર દેશભરમાં પણ લોકો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજ્યમાં અરવિંદ કેજરીવાલની સૌપ્રથમ જંગી જાહેરસભા જોવા ઉત્સુક છે. ત્યારે મીડિયાના મિત્રો આ સભાનું સીધું પ્રસારણ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા ના કરી શકે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ પર ઓનલાઇન આ સભાનું સીધું પ્રસારણ ના કરી શકે તે માટે જ જાણે આ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે .

2

અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક આવતી કાલથી ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે છે. તેમની ગુજરાત મુલાકાતને લઈને રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ત્યારે આજે અમદાવાદમાં પણ કેજરીવાલ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ ગુજરાત સરકારે 16મી ઓક્ટોબરે સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીક ન થાય, તે માટે ગુજરાતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીએ ભાજપ સરકારને આડેહાથ લીધી છે.

3

એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી કેજરીવાલને 2017 વિધાનસભા ચૂંટણીઓ સુધી ગુજરાતમાં જ રહેવાનું નિમંત્રણ આપવાનું નાટક કરે છે ને બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી દિલ્લીના મુખ્યમંત્રીને પાકિસ્તાનના હીરો જેટલી નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરી સંબોધન કરે છે, જે માત્રને માત્ર તેમની બોખલાહટ અને અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા સામેનો ડર દેખાડે છે. જીતુભાઇ દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે, કેજરીવાલ ગુજરાતમાં વર્ગવિગ્રહ કરાવવા આવી રહ્યં છે ત્યારે આમ આદમી પાર્ટી તેમને કહેવા માંગે છે કે, ભડકાઉ ભાષણ આપવા, લોકોમાં ઝેર ફેલાવવું, પોતાના રાજકીય હિત માટે વિભિન્ન સમાજમાં નફરત ફેલાવવી આ તમામ કાર્યો માટે કયો રાજકીય પક્ષ જાણીતો છે તે સૌ કોઈ જાણે જ છે. જીતુભાઇ અરવિંદ કેજરીવાલ ગુજરાત તમારા છેલ્લા વિસ વર્ષના કુસાશન અને હિટલરરાજનો ખાત્મો કરવા આવી રહ્યા છે. જો છેલ્લા 20 વર્ષના ભાજપના શાશન દરમ્યાન તમે લોકહિતના કરવાલાયક કાર્યો કર્યા હોત તો આજે આમ આદમી પાર્ટીથી આટલો ફફડાટ જોવા ના મળતો હોત.

4

અખબારી યાદીમાં જણાવાયું છે કે, પોતાને ગતિશીલ, વાઇબ્રન્ટ ગણાવતી સરકાર એટલી પણ વહીવટી ક્ષમતા નથી ધરાવતી કે, એક સ્પર્ધાત્મક પરીક્ષા સામાન્ય નાગરિકોને તકલીફ પહોંચાડ્યા વગર પૂર્ણ કરાવી શકે. આ તેનું જીવતુંજાગતું ઉદાહરણ છે. ગુજરાતની રાજનીતિમાં અરવિંદ કેજરીવાલ સૌપ્રથમ એવા નેતા હશે કે જેના આગમનના સમાચાર માત્રથી સાશક પક્ષ આટલો ભયભીત થયો હોય અને બોખલાહટમાં આટલી નીચલા સ્તરની રાજનીતિ કરતો હોય. એક નેતાને રાજ્યના વેપારીઓ બોલાવે તો વેપારીઓને ડરાવી ધમકાવી કાર્યક્રમ રદ્દ કરાવવો, કાર્યક્રમના સ્થળની મંજૂરી રદ્દ કરાવવી, જાહેરસભા કરવાની અનુમતિ ન આપવી અને જો જાહેરસભા થવા જઈ રહી હોય તો ડરપોકની જેમ અન્ય સંગઠનોના નામે દુષ્પ્રચાર કરતા બેનરો લગાવવા, લોકોના મનમાં ડરનો માહોલ પેદા કરવો એક નેતા પાર્ટી અને વિચારધારાના ડરથી આ પ્રકારની હરકતો કદાચ જ કોઈ અન્ય સાશક રાજકીય પક્ષે કરી હશે.

  • હોમ
  • અમદાવાદ
  • AAPનો આક્ષેપઃ 16મીએ કેજરીવાલની સુરત રેલીથી ડરેલી ભાજપ સરકારે ઇન્ટરનેટ સેવા બંધ કરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.