ઓપિનિયન પોલઃ મધ્યગુજરાતમાં ભાજપને થઇ શકે છે ફાયદો? કોંગ્રેસને મળશે કેટલા ટકા મત ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Nov 2017 07:59 PM (IST)

1
અમદાવાદઃ એબીપી અસ્મિતાનો ઓપિનિયન પોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ પોલ પ્રમાણે, મધ્ય ગુજરાતમાં ભાજપને ફાયદો થઈ શકે છે. ઓપિનિયન પોલમાં ભાજપ 54 ટકા મતો સાથે કૉંગ્રેસ કરતા આગળ છે. કોગ્રેસને 33 ટકા મત મળવાનું અનુમાન છે.
2
આ ઓપિનિયન પોલમાં અગાઉના સર્વે કરતા મતમાં આઠ ટકાનો વધારો થતો જોવા મળી રહ્યો છે. મધ્ય ગુજરાતની 40 બેઠકોમાંથી ભાજપને 54 ટકા મતો મળી શકે છે જ્યારે કોગ્રેસને 38 ટકા મત મળી શકે છે.
3
4
ગુજરાતની ચૂંટણી અગાઉ એબીપી ન્યૂઝ અને લોકનીતિ-સીએસડીએસના ઓપિનિયન પોલ પ્રમાણે, ગુજરાતમાં બીજેપીની સરકાર બની શકે છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં એબીપી ન્યૂઝ-લોકનીતિ-સીએસડીએસએ આ ઓપિનિયન કર્યો છે.