અમદાવાદ: આંબાવાડીમાં જૂથ અથડામણ, વાહનોમાં તોડફોડ અને આગચંપી, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટનાને પગલે આ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અપિલ કરી છે.
ટોળાનો ગુસ્સો એટલો બધો હતો કે પોલીસ અને આગ બુઝાવવા આવેલી ફાયરબ્રિગેડની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક જવાન ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા પોલીસને 3 જેટલા ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.
આંબાવાડીમાં ભુદરપુરા નજીક આંબેડકરનગરમાં યુવતીની છેડતી બાબતે મોડી રાત્રે બે જૂથ સામ સામે આવી ગયા હતા. હિંસક બનેલા ટોળાએ વાહનોને આગચંપી શરૂ કરી દીધી હતી. આગમાં સાતેક જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતા.
આંબાવાડીમાં રાજપૂત યુવા સંઘ સંચાલિત હૉસ્ટેલનાં બાઈક સળગાવવામાં આવ્યા છે. યુવતીની છેડતી બાદ જૂથ અથડામણમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. 15 જેટલાં બાઈકને આગ ચાંપી દેવામાં આવી છે. લોકોના ટોળાએ હૉસ્ટેલની લિફ્ટ અને બારીઓના કાચ તોડી નાખ્યા હતા.
અમદાવાદઃ આંબાવાડીમાં જૂથ અથડામણને પગલે ભયનો માહોલ છવાઈ ગયો હતો. સામસામે આવી ગયેલા બે જૂથોએ વાહનોને આગ પણ ચાંપી દીધી હતી. ટોળાએ ફાયરબ્રિગેડ અને પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં ફાયરબ્રિગેડનો એક કર્મચારી ઘાયલ થયો હતો. ટોળાને વિખેરવા માટે પોલીસને ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા.