અમદાવાદઃ વિધવા પુત્રવધૂ પર સસરાએ શું ધમકી આપીને ગુજાર્યો બળાત્કાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Jul 2017 12:41 PM (IST)

1
આ અંગેની વિગત એવી છે કે, નિકોલમાં રહેતી મહિલા વિધવા જીવન વિતાવી રહી છે. ત્યારે આ વિધવાના સસરાએ તાબે નહીં થાય તો પ્રોપર્ટીમાં ભાગ નહીં આપે તેવી ધમકી આપી હતી. આ પછી વિધવાને પ્રોપર્ટીમાં ભાગ આપવાની અને ઘરમાં રાખવાની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે વિધવાએ ફરિયાદ કરતાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
2
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક વિધવા પર તેના જ સસરાએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ અંગે વિધવાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં સસરા સામે બળાત્કારની ફરિયાદ કરતાં સમગ્ર હકિકત સામે આવી છે.