✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં ‘ધ ગીર’, પ્રવાસીઓને સાંભળવા મળશે સિંહની ત્રાડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jun 2018 10:59 AM (IST)
1

આ અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલે જણાવ્યું હતું કે, “દેશની બહારના આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ધોરણે એસ.વી.પી.આઇ. એરપોર્ટ, અમદાવાદના સૌંદર્યીકરણનો પ્રોજેક્ટ મારા હૃદયની ખૂબ જ નજીક છે. સિંગાપોર એરપોર્ટ પર આવેલી બટરફ્લાય પાર્કની પ્રતિકૃતિએ મને આ પ્રકારનો પ્રોજેક્ટ અમદાવાદમાં કરવાની પ્રેરણા આપી. જો કે, જીવંત સિંહને લાવવા મુશ્કેલ હોવાથી અમે એરપોર્ટ પર ધ ગીરમાં સિંહની પ્રતિકૃતિ તૈયાર કરાવી. મને ખાતરી છે કે ઇન્ટરએક્ટિવ મીડિયા ઉપકરણની સાથે-સાથે આબેહૂબ પ્રતિકૃતિઓ તમામ ઉંમરના પ્રવાસીઓ અને મુલાકાતીઓને આકર્ષશે.”

2

લોકસભા સાંસદ પરેશ રાવલે જણાવ્યું હતું કે, “ગુજરાતના ગીર જંગલને એરપોર્ટ પર પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારની અનોખી સંકલ્પના માટે હું પરિમલભાઈ નથવાણીનો આભાર વ્યક્ત કરું છું. ભારતીય એવિએશન ઉદ્યોગના ઇતિહાસમાં પોતાના રાજ્યની ઓળખ અને ખાસિયતને પોતાના એરપોર્ટ પર પ્રદર્શિત કરવામાં આવી હોય તેવું પહેલીવાર આટલી સરસ રીતે આ ગીર પ્રોજેક્ટ થકી શક્ય બન્યું છે.”

3

પરિમલ નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, “શહેરની મુલાકાતે આવતા પ્રવાસીઓને એશિયાટીક સિંહોના એકમાત્ર રહેઠાણની ઝાંખી પૂરી પાડવા માટે ગીરની પ્રતિકૃતિ તૈયાર કરવાનો વિચાર કરવામાં આવ્યો. ગુજરાત ઉપરાંત અન્ય શહેરો અને દેશોના ઘણાં લોકોએ ગીર વિશે સાંભળ્યું તો હશે પરંતુ તેની મુલાકાત લઈ શક્યા હશે નહીં. અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિકૃતિ લોકોમાં ગીરના વન્યજીવો પ્રત્યે રસ પેદા કરશે અને તેમને ગીરની રૂબરૂ મુલાકાત લેવા માટે પ્રોત્સાહન આપશે.”

4

આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 11,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિધ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી જ એરપોર્ટ પર મૂકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અરાઈવલ લોન્જમાં રાખવામાં આવેલા ઈન્ટરએક્ટિવ મીડિયા દ્વારા ગીરના જંગલમાં સાંભળવા મળતી સિંહની ત્રાડ અને પક્ષીઓના અવાજને કારણે ગીરના જંગલનું વાતાવરણ ઉભું થાય છે.

5

આ પ્રોજેક્ટ લગભગ 11,000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે સિંહ, ચિત્તા, બાજ, કાળિયાર, ચીત્તલ, અજગર, વગેરેની પૂર્ણ કદની પ્રતિકૃતિઓ મૂકવામાં આવી છે. પ્રસિધ્ધ ગીરનું જંગલ સૂકા ઘાસથી છવાયેલું છે તેથી જ એરપોર્ટ પર મૂકવામાં આવેલી પ્રતિકૃતિમાં પણ કૃત્રિમ સૂકા ઘાસનો ઉપયોગ કરીને ગીરના મૂળ જંગલ જેવું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે.

6

અમદાવાદઃ એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસ.વી.પી.આઇ.) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલ પર ‘ધ ગીર’નું નિર્માણ કર્યું છે. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટનું અનાવરણ પરિમલ નથવાણી તથા લોકસભા સાંસદ અને એરપોર્ટ સલાહકાર સમિતિ, અમદાવાદના અધ્યક્ષ પરેશ રાવલના હસ્તે સંયુક્ત રીતે કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં ‘ધ ગીર’, પ્રવાસીઓને સાંભળવા મળશે સિંહની ત્રાડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.