✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ક્યા મુદ્દે થઈ ગયા એક ? કાઢી કોની ઝાટકણી ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Oct 2016 11:22 AM (IST)
1

અમદાવાદઃ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકમત થઈ ગયા છે. બંનેએ આ મુદ્દે રમાતા રાજકારણની ઝાટકણી કાઢી છે.

2

હાર્દિકે લખ્યું છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકનું બેનર લગાવીને પ્રચાર કરી રહ્યો છે તેના કરતા સારી વાત હોત કે શહીદોના પરિવારોનો ઉત્સાહ વધે તેવો પ્રચાર કર્યો હોત. હાર્દિકના ટ્વિટનેકેજરીવાલે રીટ્વિટ કરી સમર્થન આપ્યું હતું.

3

અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું છે કે આવા સંવેદનશીલ અને દેશપ્રેમના મુદ્દે રાજકીય આક્ષેપબાજીઓથી સેનાનું અપમાન થાય છે અને પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે ત્યારે આ બધી વાતો બંધ કરવી જોઈએ અને રાજકારણ ના રમવું જોઈએ.

4

હાર્દિક પટેલે દેશના લશ્કરની બહાદુરીનાં વખાણ કર્યાં છે પણ તેમની બહાદુરી અને સૈનિકોની શહીદીનો લાભ નરેન્દ્ર મોદી અને ભાજપ શા માટે લે છે, તેવો સવાલ ઊઠાવ્યો છે. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે રાજકારણ અયોગ્ય ગણાવી સૈન્યનું મનોબળ મજબૂત બને તે જરૂરી હોવાનું કહ્યું છે.

5

અલ્પેશ ઠાકોરનું પણ કહેવું છે કે, પીઓકેમાં દેશના સૈન્યએ ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આતંકીઓને ઢાળી દીધા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ કે અન્ય પક્ષો વચ્ચે રાજકારણ રમાય તે ના ચાલે. સૈન્યનું મનોબળ આ સ્થિતિઓમાં જળવાઈ રહે અને સતત વધતું રહે તે જરૂરી છે.

6

હાર્દિક પટેલે ટિ્વટ કરીને એવો સવાલ ઉઠાવ્યો છે કે, ગોળીઓ તો આપણા સૈન્યે અને જવાને ખાધી છે, જેના જવાબમાં આતંકવાદીઓને પણ સેનાના જવાનોએ ઢાળી દીધાં છે, તો પછી તેનો જશ મોદી અને ભાજપ શા માટે લઈ રહ્યા છે ?

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ક્યા મુદ્દે થઈ ગયા એક ? કાઢી કોની ઝાટકણી ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.