અમિત શાહ આનંદીબેનના શરણેઃ રાત્રે બેનના ઘેર જઈ કરી અઢી કલાક ચર્ચા, બેને અમિત શાહને કેટલા ઉમેદવારોની યાદી પકડાવી?
સૂત્રો કહે છે કે, અમિત શાહ-આનંદીબેન વચ્ચે જૂથબંધીનો અંત લાવવા કેન્દ્રીય નેતાગીરીએ ઘણાં પ્રયાસો કર્યાં પણ તેઓ સમાધાન કરાવી શક્યા નથી. જેના લીધે ખુદ મોદીએ દરમિયાનગીરી કરવી પડી છે. અમિત શાહે પણ આનંદીબેન પટેલના કયા માણસો ચૂંટણી જીતવા માંગે છે, તે જાણી લીધું છે. આ જાણી આનંદીબેનની પણ ચિંતા વધી છે.
આ બેઠકમાં પાટીદાર આગેવાનોની સમજાવટ કરીને આખોય મામલો શાંત પાડવા શું કરવું જોઇએ તે મુદ્દ ચર્ચા થઇ હતી. તો સામે છેડે આનંદીબેન પટેલે ૪૨ ઉમેદવારોની યાદી રાષ્ટ્રીય પ્રમુખના હાથમાં પકડાવી દીધી હતી. હાલ, નિરીક્ષકો દાવેદારોને સાંભળી રહ્યાં છે ત્યારે પક્ષ દ્વારા થયેલી કાર્યવાહી માત્ર રાજકીય નાટક બની રહેશે, તેવું આ મીટિંગ પછી ચર્ચાઇ રહ્યું છે.
નરેન્દ્ર મોદીનો આદેશ હોવાથી આનંદીબેન પટેલને પણ ભાજપ પ્રમુખ સાથે સમાધાન કરવા ફરજ પડી છે. ભાજપ માટે ચૂંટણી જીતવી અઘરી બની છે ત્યારે અમિત શાહ અને આનંદીબેન પટેલે સમાધાનકારી વલણ અપનાવ્યું છે. જેના ભાગરૂપે રવિવારે મોડી રાત્રે અમિત શાહની આનંદીબેન સાથે ગુપ્ત બેઠક યોજાઇ હતી.
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી અમિત શાહ-આનંદીબેન પટેલ વચ્ચે જૂથબંધી ચાલી રહી છે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી ભાજપની જૂથબંધી કોંગ્રેસના વિજયનું કારણ બની શકે છે. ત્યારે ખુદ નરેન્દ્ર મોદીએ જૂથબંધીનો અંત લાવવા આદેશ કરવો પડ્યો છે. જેના કારણે ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આનંદીબેન પટેલ સામે નમતું જોખવું પડ્યું છે.