✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભરતસિંહે કેમ કરી કોંગ્રેસ પ્રમુખપદ છોડી દેવાની ઓફર ? રાહુલે તેમને શું આપ્યો જવાબ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jul 2017 10:42 AM (IST)
1

અત્યારે તો જીલ્લા-તાલુકામાં બેઠકોનો દોર-પ્રવાસ થકી કોંગ્રેસ ચૂંટણીનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે રાહુલ ગાંધીના નિર્ણય પર સૌ કોઇની નજર મંડાઇ છે. રાહુલ ગાંધી5 નજીકના ભવિષ્યમાં ગુજરાતના પ્રવાસે આવવાના છે અને ત્રણ જાહેર સભા સંબોધવાના છે તે વખતે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

2

બંન્ને નેતાઓ સાથેની બેઠક બાદ રાહુલે ગેહલોત સાથે પણ બેઠક યોજીને ગુજરાતની વર્તમાન રાજકીય પરિસ્થિતીનો અંદાજ મેળવ્યો હતો. સૂત્રો કહે છે કે, પ્રદેશ કોંગ્રેસના કેટલાંક નેતાઓને સંગઠનની જવાબદારી મળી શકે છે.આ ઉપરાંત હવે ગુજરાત કોંગ્રેસના નવા માળખાની પણ જાહેરાત થઇ શકે છે.

3

રાહુલ ગાંધીએ ભરત સોલંકી સાથે ૨૫ મિનિટ વાત કરી હતી. પ્રદેશ પ્રમુખે મોટુ મન રાખીને જો પક્ષમાં મનમેળાપ થતો હોય તો પ્રદેશ પ્રમુખપદ છોડી દેવાની પણ તૈયારી દાખવી હોવાનું જાણવા મળ્યું છે. કે રાહુલ ગાંધીએ તેમને હમણાં કોઈ નિર્ણય નહીં લેવા અને પોતે નિર્ણય લેશ તેમ કહીને રવાના કર્યા હતા.

4

શનિવારે દિલ્હીમાં રાહુલ ગાંધીએ શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી સાથે અલગ અલગ મળી તેમની વાત સાંભળી હતી. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય ઇમેજ , અંદરોઅંદરનું રાજકારણ , વર્તમાન રાજકીય સ્થિતી સહિત ચૂંટણી વખતે શું કરી શકાય, અત્યારે શું ખામી છે તે તમામ મુદ્દે વાત રજૂ કરી હતી.

5

બીજી તરફ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગંધી સમક્ષ ૪૫ મિનિટ સુધી મન કી બાત કહી હતી. સૂત્રોના મતે, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના જૂથવાદને ઠારવાનો મુદ્દો હાથ પર લીધો છે જેના ભાગરૂપે અશોક ગેહલોત અને ભરતસિંહ સોલંકી દક્ષિણ ગુજરાતના પ્રવાસેથી સીધા દિલ્હી પહોંચ્યા હતા.

6

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદના કારણે કાર્યકરોમાં હતાશા છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રદેશ પ્રમુખપદ છોડવા ઓફર કરી છે. દિલ્હીમાં કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી સમક્ષ ભરતસિંહે આ ઓફર કરી હતી. ગઈ કાલે ભરતસિંહ અને પ્રભારી અશોક ગેહલોત રાહુલ ગાંધી તથા સોનિયા ગાંધીને મળ્યા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • ભરતસિંહે કેમ કરી કોંગ્રેસ પ્રમુખપદ છોડી દેવાની ઓફર ? રાહુલે તેમને શું આપ્યો જવાબ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.