ગુજરાત ભાજપે ચૂંટણીને ધ્યાનમાં રાખી આઠ પ્રવક્તાઓની કરી નિમણૂંક, જાણો કોનો કોનો થયો સમાવેશ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Oct 2017 03:26 PM (IST)
1
આ સિવાય સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય જગદીશ પંચાલ અને યમલ વ્યાસને પણ ચૂંટણીમાં પ્રવક્તા તરીકેની જવાબદારી સોંપાઇ છે.
2
પ્રદેશ મીડિયા સેલના પૂર્વ કન્વીનર જગદીશ ભાવસાર અને સાંસદ કિરીટ સોલંકીને પણ પ્રવક્તા તરીકે જીતુ વાઘાણીએ નિયુક્ત કર્યા છે.
3
આ ઉપરાંત પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા અને પ્રદેશ પ્રવક્તા ભરતભાઈ પંડ્યનો પણ સમાવેશ થાય છે.
4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપના આઠ પ્રવક્તાઓની નિમણૂંક કરી છે. આ પ્રવક્તાઓમાં પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનો સમાવેશ થાય છે.