સાધ્વી જયશ્રીગિરીએ સેશન્સ કોર્ટમાં કરેલા અગોતરા જામીન પર આજે સૂનવણી, 1.25 કરોડની ઠગાઈનો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Feb 2017 07:40 AM (IST)

1
સાધ્વી જ્યશ્રીગીરીએ ચોટીલાના નવલગીરી ગોસાઈ નામના વ્યક્તિ સાથે રૂ 1.25 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શાહીબાગ પોલી સ્ટેશનમાં થઇ હતી. નવલગીરીએ બરોડાની ગૌચરની જમીન હાઉસિંગમાંથી ક્લિયર કરવા માટે જ્યશ્રીગીરી સાથે રૂ 1.25 કરોડનો સોદો કર્યો હતો.
2
આજે કોર્ટ સાધ્વીની આગોતરા જામીન અરજી પર ચુકાદો આપશે. સાધ્વી જયશ્રીગીરિની ધરપકડ બાદ એક પછી એક તેના કારનામાઓનો પર્દાફાશ થઇ રહ્યો છે. બનાસકાંઠા બાદ અમદાવાદમાં પણ સાધ્વીએ અનેક લોકો પાસેથી પૈસા પડાવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે.
3
અમદાવાદ: માયાવી સાધ્વી જયશ્રીગિરીએ અમદાવાદ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી પર આજે કોર્ટનો ચુકાદો આવે તેવી શક્યતા છે. માયાવી સાધ્વી જયશ્રીગીરી વિરુદ્ધ અમદાવાદનાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 1.25 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઇ હતી. જે મામલે બન્ને પક્ષોની સુનાવણી પૂર્ણ થઇ છે.