વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં CM વિજય રૂપાણીએ શું કહ્યું, જાણો વિગતે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડતાલ સ્વામિનારાયણ મંદિર તરફથી ભાજપને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે. મંદિરના મુખ્ય કોઠારીએ ભાજપને વિજયી બનાવતો સંદેશો આપ્યો હતો. ઘનશ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મંદિર માટે ઘણું કર્યું છે. ભગવાન પીએમ મોદીને વિજયી બનાવે.
વડતાલ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં કાર્તિકી સામૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચરોતર અને સૌરાષ્ટ્ર સહિત રાજ્ય ભરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા. શનિવારે સામૈયાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં એવા સમાચાર આવી રહ્યાં હતા કે મુખ્યમંત્રી રાજકોટ બેઠક છોડીને કોઇ સલામત બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે અને આ બેઠક વઢવાણ હોઇ શકે છે.
વડતાલઃ વડતાલ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્તિકી સામૈયાના સમાપન સમારોહમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવ્યા હતા. જ્યાં તેઓ કઇ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઇને ચાલી રહેલી ચર્ચાનો આંત આણતા જણાવ્યું હતું કે તેઓ રાજકોટ બેઠક પરથી જ ચૂંટણી લડવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -