ગુજરાતમાં લોકસભાની કઈ 4 બેઠકો પર ઉભા રહેવા કોંગ્રેસનો કોઈ દાવેદાર આગળ ના આવ્યો ? જાણો વિગત
આ ચાર બેઠકો પૈકી અમદાવાદ પૂર્વ બેઠક પર ફિલ્મ અભિનેતા પરેશ રાવલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પર ડો. કિરિટ સોલંકી ચૂંટાયા છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. રાજકોટ બેઠક પરથી મોહનભાઇ કુંડારિયા અને નવસારી બેઠક પરથી સી.આર. પાટિલ ચૂંટાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને 3 દિવસ લગી બેઠકોનો દોર ચલાવ્યો. આ બેઠકોમાં લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં 25 લોકસભા બેઠકો માટે ચર્ચા થઈ હતી.
આ રજૂઆતનો અર્થ એ થાય કે, કોંગ્રેસના નેતાઓ પણ માને છે કે, આ ચાર બેઠકો પર જીતવું મુશ્કેલ છે અને આ ચાર બેઠકો પર ભાજપની જીત નિશ્ચિત છે. ભાજપ ગમે તેને ઉભા રાખે તો પણ આ બેઠકો પરથી જીતી જાય તેમ છે તેવો કોંગ્રેસના નેતાઓનો જ મત છે.
મજાની વાત એ છે કે આ 25 બેઠકો પૈકી ચાર બેઠકો પર ઉમેદવારી નોંધાવવા માટે કોઈ દાવેદાર આગળ જ ના આવ્યો. આ ચાર બેઠકોમાં રાજકોટ, નવસારી, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકનો સમાવેશ થાય છે. આ ચાર બેઠકો માટે કોંગ્રેસમાંથી કોઈએ દાવેદારી કરી નથી.
વડોદરા સિવાય તમામ લોકસભા બેઠકો પર સ્થાનિક આગેવાનોનો મત પ્રદેશના નેતાઓએ સાંભળ્યો હતો. આ બેઠકો માટે કેટલાક નેતાઓએ દાવેદારી પણ કરી. તમામ બેઠકો માટે સામાજિક અને સ્થાનિક સમીકરણ પર ભાર મૂકાયો. સાથે જ ગેરશિસ્ત કરનાર સામે આકરાં અને ઝડપી પગલાંની માંગ પણ કરાઈ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -